રાજુલાની જે એ સંઘવી સ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ નો અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરાયો
રાજુલા તા:-૧૧/૦૧/૨૦૨૧ રીપોર્ટ :- મહેશ વરૂ દ્વારા. રાજુલાની જે એ સંઘવી સ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ નો અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરાયો. સરકારી ગાઇડ લાઇન ના અમલ સાથે વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.રાજુલા સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા દસ એક મહિનાથી કોરોના મહામારી ને લઈને શાળાઓ બંધ રહેવા પામી હતી જોકે રાજ્ય સરકારના શાળાઓને ચાલુ કરવાના નિર્ણય બાદ સોમવારથી સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ જ્યારે રાજુલામાં શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ એ કોરોના ના નિયમોના પાલન સાથે અભ્યાસક્રમનો પ્રારંભ કર્યો હતો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કોરોના ના પગલે છેલ્લા દસ મહિનાથી શાળાઓ બંધ હતી જ્યારે ગત રોજ રાજ્ય સરકારના નિર્ણય બાદ રાજુલા શહેરમાં આજથી ધોરણ -૧૦ અને ૧૨ ની શાળાઓ શરૂ કરવામાં આવી છે શહેરમાં ચાલતી સરકારી તેમજ ખાનગી શાળાઓ ને એક દિવસ અગાઉ શાળાના સંચાલકો દ્વારા આખી શાળામાં સેનેટાઇજ કરવામાં આવી હતી અને આજ થી શરૂ થયેલ આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ને સરકારની ગાઈડ લાઈન મુજબ એક રુમ મા એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માં આવી હતી અન...