Posts

Showing posts from September 30, 2020

રેપિડ ટેસ્ટ રંઘોળા

Image
*રંઘોળા મા ગઈ કાલે 41 રેપિડ ના સેમ્પલો લેવાયા જેમાં 3 વ્યક્તિ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.*   છેલ્લા કેટલાક સમયથી કોરોના ની મહામારી આખા વિશ્વમાં ચાલી રહી છે અને છેવાડાના ગામો સુધી પણ આ રોગ પહોંચી ગયો છે જ્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ગઈ કાલે 41 રેપિડ ના સેમ્પલો લેવાયા જેમાં 3 વ્યક્તિ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને હાલ મા હોમ આઇસોલેશન માં રાખી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડૉ કેશવ મકવાણા,સુપરવાઈઝર ૠષિ ભાઈ શુક્લ, જાવેદભાઈ દસાડીયા,દક્ષા બેન પંડ્યા fhw,રાજદીપ સિંહ rbsk ફાર્મા.સરપંચ શ્રી શશીભાઈ ભોજ, ઉકાભાઈ કોતર, તથા આશા બહેનો ના સહયોગ થી આ કેમ્પ યોજાયો હતો તસવીર :- *અભિષેક પંડિત રંઘોળા*

ભાવનગર ની અનોખી કહાની.

Image
ભાવનગર હોસ્પિટલ ખાતે હાર્ટ એટેક થી મૃત્યુ પામેલા દર્દી ને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી આજ રોજ ભાવનગર સર્ટીહોસ્પિટલ ખાતે     ઉના ગામના મોટા કોળી વાળના દેવાભાઈ રાઠોડ ને એટેક આવે જતા સર્ટિહોસ્પિલમાં મૃત્યું પામેલા દેથ બોડી રિપોર્ટ ના લીધે રાત ના આપવાના હતા તો ભાવનગર શહેર કૉંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલના  પ્રમુખ તોસિફ પઠાણ  તેમજ  ભાવનગર જિલ્લા હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટિ ના જિલ્લા પ્રમુખ કેતન વાઢેર હોસ્પિટલમાં માં તાત્કાલિક જય ને દેથ બોડી તેમના સબંધી ને સાંજના 4 કલાકે  દેથ બોડી અપાવેલ છે તેમજ તેમને એમ્બ્યુન્સ અહીં થી ઉના જાવા માટે ની વ્યવસ્થા કરાવી આપેલ . આ પુનિયના કામ માં મારા ખાસ મિત્ર  ભાવનગર જિલ્લા મહામત્રી બચુભાઇ  ભીખાભાઇ ભાલીયા એ માનવતા દાખવી મારો કોન્ટેકટ કરી અમને જાણ કરેલ હું  તોસિફ પઠાણ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ હેલ્થ  હોસ્પિટલ કમિટિ  તેમજ મારા સાથી મિત્ર ભાવનગર જિલ્લા કૉંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટિ ના પ્રમુખ કેતન વાઢેર હાજર રહેલ રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

તાલાલા તાલુકાનાં માધુપુર(ગીર) ગામના રહેવાસી ચંપાબેન મેઘજીભાઈ પરમાર તેમના શ્વાસ સંસ્થા-સોમનાથ મા બીજા સમૂહલગ્નમા તેમના લગ્ન થયાં હતા.

Image
તાલાલા તાલુકાનાં માધુપુર(ગીર) ગામના રહેવાસી ચંપાબેન મેઘજીભાઈ પરમાર તેમના શ્વાસ સંસ્થા-સોમનાથ મા બીજા સમૂહલગ્નમા તેમના લગ્ન થયાં હતા. આ દીકરી મંદબુદ્ધિ થી વિકલાંગ છે.તેમનુ કોઈ કારણસર તેમને મેડિકલ સર્ટિફિકેટ મળી શકે તેમ ના હતું. તેના કારણે તેમને સમાજ સુરક્ષા વિભાગ માથી વિકલાંગ લગ્નસહાય મળી શકે તેમ ના હતી.પણ માધુપુર(ગીર)ના ઉત્સાહી અને નાનાં માણસોના કામો ને પોતાના કામો સમજીને કાર્ય કરનાર કર્તવ્યનિષ્ઠ સરપંચશ્રી નવનિયુક્ત તાલાલા(ગીર) ભાજપાના તાલુકા પ્રમુખશ્રી વિમલભાઈ વાડોદરિયા એ આ કામગીરીમા અંગત રસ લઈ ને કામ પુર્ણ કરેલું છે.શ્વાસ સંસ્થા ના પ્રમુખશ્રી અને તમામ સભ્યોશ્રી આપનો ખુબ ખુબ આભાર માને છે. દિલ થી આભાર વિમલભાઈ માન્યો હતો રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન પર R.O પ્લાન્ટ નો ઉગ્ર વિરોધ મહિલાવો રણચંડી બની આવી મેદાને.

Image
સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન પર R.O પ્લાન્ટ નો ઉગ્ર વિરોધ મહિલાવો રણચંડી બની આવી મેદાને. આખું ગામ વિરોધ માં છતાં તંત્ર દ્વારા કાર્યવાહી વિરોધ કરી રહેલ ગ્રામજનો ની વ્હારે જાહેર માં આવવા આગેવાનો મુંઝવણમાં મુકાયા હતા ગામ ના ગૌચર બચાવવા રાજકીય સામાજિક આગેવાનો નો સહકાર ના મળતા ગામની મહિલાઓ નો નવતર પ્રયોગ અપનાવ્યો હતો જેથી સોશીયલ મીડિયા ના સહારે આગેવાનો ને લીધા ઉધડા ધરણાં પર બેસેલ ગામ ની મહિલાઓ દ્વારા રાજકીય અને સામાજીક આગેવાનો ને ફોન પર મદદ ની દુહાર માજી કેબિનેટ મંત્રી, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા તાલુકા ના આગેવાનો સાથે ટેલિફોનિક વાત ની ઓડિયો કલીપ સોશિયલ મીડિયા માં વાયરલ. જેથી વાયરલ ઓડિયો કલીપ ને પગલે રાજકીય સામાજીક આગેવાનો ખુલ્લા પડ્યા હતા છેલ્લા પાંચ દિવસ થી ગ્રામજનો ઘરણાં સાથે કરી રહ્યા છે વિરોધ છતાં પણ ખાનગી કંપની દ્વારા પોલીસ રક્ષણ મેળવી જમીન નો કબ્જો મેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા આવી રહ્યા છે.    કોઈ કદાવર આગેવાન ઝાલા વડોદરા ની મહિલાવો ના સહારે કેમ ના આવ્યા ? શામાટે ? આ દેશની નારીને રણચંડી બનવા મજબુર કરાય રહી છે ? કોને લાભ ? કો...

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળી જેમાં કેશુભાઈ પટેલને વધુ એક એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે જેની જાહેરાત કરવામાં આવી.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની  બેઠક મળી જેમાં કેશુભાઈ પટેલને વધુ એક એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે જેની જાહેરાત કરવામાં આવી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આજે સાંજે 6 કલાકે ઓનલાઈન બેઠક મળી હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી બેઠકમાં ઓનલાઇન હાજરી આપી હતી. સોમનાથ ટ્રસ્ટના ઓનલાઇન બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં સોમના ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ વધુ એક વર્ષ માટે રહેશે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, જેડી પરમાર અને સેક્રેટરી પી.કે.લેહરી જોડાયા. બેઠકમાં સોમનાથ ટ્રષ્ટના આવક-જાવકનો હિસાબ પણ રજૂ કરવામાં આવ્યો જેમાં ગત વર્ષે આવક 46.29 કરોડની આવક તો  35.80 કરોડની જાવક પણ થઈ હતી. બેઠકમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી, અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2.62 કરોડની સહાય પણ કરવામાં આવી, સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં પણ 1 કારોડનજ દાન આપવામાં આવ્યું છે રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ