Posts

Showing posts from January 10, 2021

માધવસિંહ સોલંકી ના અંતિમ સંસ્કાર.

Image
અંતિમ સંસ્કાર:ગુજરાતના ચાર વાર CM રહી ચૂકેલા માધવસિંહ સોલંકી પંચમહાભૂતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર અપાયું, હજારો સમર્થકોએ અંતિમ દર્શન કર્યા અમદાવાદ2 કલાક પહેલા પંચમહાભૂતમાં વિલીન થઈ રહેલા માધવસિંહ સોલંકી. સોનિયા ગાંધીએ શોક સંદેશ મોકલ્યો તિરંગામાં લપેટીને પાર્થિવ દેહ કોંગ્રેસ કાર્યાલય ખાતે લવાયો હતો, સેવાદળે માધવસિંહને સલામી આપી ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને રાજ્યસભા MP શક્તિસિંહે અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94ની વયે ગાંધીનગરમાં અવસાન થયું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે તેમના પુત્ર અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તેમના અંતિમ સંસ્કાર આજે રાખવામાં આવ્યા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બપોર બાદ તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ ...

પાટણ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ ગુજરાત સરકારશ્રી ની IHSDP યોજનાં હેઠળ સર્વે નંબર 3139 પૈકીમાં પાટણ શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં 240 આવાસો બનાવવામાં આવ્યા છે....

Image
પાટણ..... પાટણ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ ગુજરાત સરકારશ્રી ની  IHSDP યોજનાં હેઠળ મોજે ગુંગડીપાટીના રે. સ. નં.180 પૈકી માં સીટી સર્વે નાં વધારેલ વિસ્તારના શીટ નં.123 તથા 132 ના સીટી સર્વે નંબર 3139 પૈકીમાં પાટણ શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં 240 આવાસો બનાવવામાં આવ્યા છે....       આ મકાનોમાં નળ કનેકશન આપવામાં આવેલ છે. પરંતુ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાચાભાઈ માળી દ્વારા નળ કનેકશન ચાલું કરવાં માટે દંડ સહિત વેરો ભરવા માટે જણાવવામાં આવ્યું જે મકાનો એક સરખા હોવા છતાં ગરીબ પરિવાર ને   અલગ અલગ દંડ સહિત વેરો ભરાવી રહ્યાં છે....       ગરીબ પરિવાર નાં લોકોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર ની નળ સે જળ યોજનાં હેઠળ પણ અમને દંડ સહિત વેરો ભરવા લેખીત જાણ કરી છે પરંતુ આ યોજના માર્ચ મહિના સુધી હોવાથી અમો વેરો ભરવા તૈયાર છીએ પરંતુ ચીફ ઓફિસર પાચાભાઈ માળી પહેલા દંડ સહિત વેરો ભરવા જણાવે છે સાથે તેઓએ જણાવ્યુ પાઈપ લાઈન મા ભંગાણ પડ્યું છે માટે પાણી આવ્યુ નથી પણ તમારે દંડ સહિત વેરો ભરશો તો જ પાણી ચાલુ કરશું તેમ જણાવ્યું હતું. તેઓને અમોએ જણાવ્યુ હતું કે ...

મોરબી રોડ ચોરી નો બનાવ...

Image
મોરબી રોડ ઉપર રતનપર ગામે ડ્રિમ લેન સોસાયટીમાં તસ્કરોનો તરખાટ 4 મકાનના તાળા તોડી તસ્કરો 20 હજાર રોકડા, ચાંદીના દાગીના અને એક પિસ્તોલ ચોરી ગયા થોડા દિવસો પૂર્વે મોડી રાત્રે બુકાનીધારી ટોળકી આંટાફેરા કરતી સીસીટીવીમાં કેદ થઈ હતી રાજકોટ ના મોરબી રોડ પર આવેલ રતનપર ની ડ્રીમ લેન સોસાયટી મા રહેતા શૈલેશભાઈ નરભેરામભાઈ સાકડેચા ના ધર મા રોકડ રૂપિયા 20.000 ચાંદી ઉઠાવી ગયા હોવા ની જાણચાર દીવસ પેલા પન ધોયા દીવસે અકબરી પરીવાર ના મદીરે થી પન સોના ના છતર ઉઠાવી ગયેલ પન છે . રિપોર્ટ... જીગ્નેશ પ્રજાપતિ રતનપર.

કર્મા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર નાં મેમ્બરોએ મારુતિનંદન વિસ્તાર ના બાળકો પ્રત્યે પ્રેમ વરસાવ્યો...

Image
*કર્મા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર નાં મેમ્બરોએ મારુતિનંદન વિસ્તાર ના બાળકો પ્રત્યે પ્રેમ વરસાવ્યો...* વેજલબેન નું અન્નપૂર્ણા વ્રત પૂર્ણ થતા ,આજે સવારે 100 જેટલા ગરીબ બાળકો ને ઈડલી નો નાસ્તો કરાવેલ,તેમજ સાંજે એક દાતા એ એકાદશી નિમિતે એજ બાળકો ને દાબેલી નો નાસ્તો કરાવેલ.તેમજ બિંદિયા બેન ઓઝા દ્વારા આ બાળકો ને કોરોના સામે રક્ષણ અર્થે  માસ્ક વિતરણ કરવામાં આવ્યા,તેમજ મોસમી બેન કનખરા દ્વારા બાળકો ને ચોકલેટ ખવરાવી મોં મીઠા કરાવ્યા હતા, આવા સરસ કાર્યક્રમના ખુશનસીબ સહભાગીઓ બનનાર પરેશભાઈ દોમડીયા, આર. પી. ઘાડીયા,અનીશભાઈ રામાણી, ભક્તિ જેઠવા, વૈશાલી મંડલોઈ,વર્ષાબેન હતા,  ઋષિતાબેન સોની (પ્રમુખ ) પ્રાચીબેન કિરકોલ (ઉપપ્રમુખ ) રિપોર્ટર : જીજ્ઞેશ ચુડાસમા