Posts

Showing posts from November 21, 2020

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી.

Image
ભાવનગર તાઃ ૨૧ : ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર,પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ...

◆આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆

Image
◆આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆ સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું  શ્રવણ  આજરોજ મહુવાના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યા માં પરમ પૂજ્ય ભગતબાપુ ની ૩૩૬ મી રામકથા નો પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે પોથી યાત્રા કીર્તન સાથે કથા પરિસર મા જ પરિક્રમા કરાવી વ્યાસપીઠ પર પધરાવી હતી ત્યારબાદ યજમાન દ્વારા વ્યાસપીઠ નું પૂજન કરવામાં આવેલ તેમજ વિવિધ પાવક જગ્યા જેવી કે સિદ્ધ ગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુ ની જગ્યા ના ભરદ્વાજ ગીરીબાપુ, તેમજ નીંગાલા થી અમરદાસ બાપુ, વિજય હનુમાન થી શિવરામબાપુ, તથા મહુવા ના રામ પાસ રહો ની પાવક જગ્યા માંથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુ નું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ હતું ,તેમજ પૂજ્ય બાપુ પરિવાર અને યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાંઆવેલ આ સાથે ઉપસ્થિત અમર દાસ બાપુ અને ભરદ્વાઝબાપુ દ્વારા આશીર્વચન પાઠવવવામાં પણ આવેલ હતા આ પ્રસંગે મહુવાના વિવિધ ક્ષેત્ર ના આગેવાનો નું સન્માન  પણ પૂજ્ય નટુબાપુ દ્વારા કરવામાં આવેલ ઘણા સમય ...