૨૯/૧૧/૨૦ કોરોના રિપોર્ટ..
29/11/2020 *આજે જિલ્લામા ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત* ૦૦૦૦૦૦ *જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૦૯ કેસો પૈકી ૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ* ૦૦૦૦૦૦ ભાવનગર, તા.૨૯ : ભાવનગર જિલ્લામા આજરોજ ૨૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૦૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે ૧ તથા મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૨૧ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૨૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસ...