રાજ્ય સરકાર તરફ થી જાણો મહત્વ ના નિર્ણયો.
*રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સધારતો નિર્ણય લીધો: રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા. ૦૧.૦૭.૨૦૧૯થી ૫% મોંઘવારી ભથ્થું મળશે* *વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી: આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ના કર્મચારીઓને મળશે* *અધિકારી, કર્મચારીઓ, પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તફાવતની રકમ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો* રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સધારતો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો તેમનાં નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨...