સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ.//એસ એસ ન્યૂઝ //13/09/20//
સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ ઝીંઝુવાડા ગામમાં આવેલ વચ્છરાજદાદાના સ્થાનકમાં જયારે આ જગ્યા ઉપર નાતજાતના ભેદભાવ વગર ભાવિકો આવે છે અને માથુ ટેકાવી અને ઈતિહાસ ગવાહી આપતો હોય એવો અહેસાસ અનુભૂતી આજે પણ ભાવિકો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વચ્છરાજ બેટ રણમાં આવેલ જગ્યાનો ઐતિહાસિક વિગતો જાણવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા વચ્છરાજ બેટ રણ આવેલ છે. આ જગ્યામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિર વચ્છરાજ દાદાનું મંદિર પણ આવેલું છે. આ રણમાં જયારે માનવીને શોધવા છતા છાયડો ન મળે પીવા માટે પાણી પણ ન મળે એવા આ સ્થાનકમાં દુર્ગમરણમાં પાણીની અછત વચ્ચે પણ અહીની ધરતી ધરામાંથી મીઠું પાણી આપમેળે બહાર આવે છે જે પણ ચોવીસ કલાક આ ધરા મીઠા પાણી આપી રહી છે અને વળી આ જગ્યામાં પાંચ હજારથી પણ વધુ ગૌવંશનો નિભાવ પણ થઈ રહ્યો છે. આ જગ્યા ઉપર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ જગ્યા ઉપર આવતા હજારો યાત્રાળુઓની માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ગૌમા...