Bhavenakaltak
*સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે ઓશો ચેરનું ઉદ્દઘાટન *ઓશોની ભત્રીજી અને વિશ્વ વિખ્યાત ચિત્રકાર, લેખિકા પ્રતિક્ષા અપૂર્વાએ સમારોહને સંબોધિત કર્યો* *વિકસિત ભારતના નિર્માણ માટે વૈજ્ઞાનિકો અને અધ્યાત્મવાદીઓના સંતુલિત વ્યક્તિત્વની જરૂર છે: પ્રતિક્ષા અપૂર્વા ------ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ ઓશોની દ્રષ્ટિ, સંદેશ અને મૂલ્યો પર અભ્યાસ અને સંશોધનમાં શ્રેષ્ઠતા માટે ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં આજે ઓશો ચેરની સ્થાપના કરવામાં આવી હતી. કોલેજ કેમ્પસમાં આયોજિત સમારોહના અતિથિ તરીકે ઓશોની ભત્રીજી અને વિશ્વ વિખ્યાત ચિત્રકાર અને લેખિકા પ્રતિક્ષા અપૂર્વએ સંબોધન કર્યું હતું. ઓશો સંઘમ ટ્રસ્ટ, વર્જીનિયા, યુ.એસ.એ. થી અનુદાનીત આ ચેર ઓશોના વિચારો થકી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં આત્મખોજ, સુસંવાદિતતા અને યોગનાં માધ્યમથી પરિણામલક્ષી પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે ઓશોનાં ભત્રીજી અને નેશનલ એવોર્ડ વિજેતા શ્રી પ્રતિક્ષા અપૂર્વ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઓશો સાથેના તેમના અનુભવો વિશે વાતો કરી અને "સીકીંગ" નામનુ...