Posts

Showing posts from October 13, 2020

બાવલિયારી માં ભારતી બેન શિયાળ ને અભિનંદન પાઠવ્યા

Image
આજ રોજ 11/10/20 ના બાવળીયાળી મુકામે આવેલ શ્રીનગાલાખાના ઠાકર દ્વારા મુકામે મહંત શ્રી રામબાપુ ગુરુ શ્રીઈસુબાપુ તેમજ પૂ.સંતો-મહંતો ના આશીર્વાદ લેતા 15-ભાવનગર, બોટાદ જિલ્લા ના લોક પ્રિય સાંસદ તેમજ રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ તેમજ જિલ્લા ભાજપા અગ્રણીશ્રી ડૉ.ધીરુભાઈ શિયાળ સહીત ભાજપા ના આગેવાનો દેહુર ભગત, લક્ષમણભાઈ રાઠોડ, ડાંગર સાહેબ, જેસીંગભાઇ મેર, અશોકભાઈ કરમટીયા, દેવાભાઈ સાટીયા, સહીત માલધારી સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.       રિપોર્ટર:-એ કે સોલંકી

ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સામખ્ય દ્વારા ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય સ્તરે આર્થિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Image
ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સામખ્ય દ્વારા ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય સ્તરે આર્થિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કુલ પાંચ ગામોની 250 બહેનોને આર્થિક બાબતે કેવી રીતે કામ કરીને પોતાના પગભર કેવી રીતે બની શકાય તે બાબતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ગીર ગઢડા તાલુકાના સી.આર.પી મકવાણા મંગળાબેને ગીર ગઢડા તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં જઈ ને કાપડ ઉદ્યોગ ભરતગુંથણ સિલાઈ કામ વણાટકામ અથાણા બનાવવા જેવા અનેક કામ વિશે તેમજ તેમના માર્કેટિંગ વિશે ચર્ચા વિચારણા કરી હતી અને કોરોના મહામારી ના કપરા સમયમાં આર્થિક રીતે મૂંઝાયેલા બહેનોને હિંમત આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કર્યો હતો જે બદલ બહેનોએ સી.આર.પી બહેન નો તેમજ મહિલા સામખ્ય નો આભાર માન્યો હતો રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સંયુક્ત ઉપક્રમે કોડીનાર ખાતે એગ્રો ઈનપુટ ડીલરો માટેનો એક દિવસીય વેબીનાર યોજાયો ૧૩/૧૦

Image
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સંયુક્ત ઉપક્રમે કોડીનાર ખાતે એગ્રો ઈનપુટ ડીલરો માટેનો એક દિવસીય વેબીનાર યોજાયો   ગીર સોમનાથ તા.૧૩, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), ગીરસોમનાથનાં સંયુક્ત ઉપક્રમે કોડીનાર કેવીકે ખાતે કપાસમાં ગુલાબી ઇયળ અને મકાઈમાં ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે ઓન લાઇન વેબીનાર યોજાયો હતો.    આ વેબીનારમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ શ્રી ડી.બી.ગજેરાએ ખાસ કરીને એગ્રો ઈનપુટ ડીલરોને ન માત્ર ધંધાકીય રીતે પરંતુ ખેડૂતોના કલ્યાણ માટે પણ સાચુ માર્ગદર્શન આપ્યું હતું. નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી ડી.એચ.ગઢીયાએ હાલની ગીરસોમનાથ જિલ્લાની કપાસનું વાવેતર કરતા ખેડૂતોની પરિસ્થિતી તથા અન્ય મુશ્કેલીઓની ચર્ચા કરી હતી.   વૈજ્ઞાનિક અને કેવીકેના વડા શ્રી જીતેન્દ્ર સિંહે હાલમાં સાંસદમાં મંજૂર થયેલા કૃષિ બીલની ઝાંખી રજૂ કરી હતી. શ્રી મનીષભાઈ ગુપ્તા, એરિયા મેનેજર, મોન્સેન્ટોએ પણ આ તકે ઉદબોધન કર્યું હતું. પાક સરંક્ષણ  વિષય નિષ્ણાંતશ્રી આર.ટી.રાઠોડે ગુલાબી ઇયળ તેમજ ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે વિગતવ...