સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળી જેમાં કેશુભાઈ પટેલને વધુ એક એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે જેની જાહેરાત કરવામાં આવી.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળી જેમાં કેશુભાઈ પટેલને વધુ એક એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે જેની જાહેરાત કરવામાં આવી.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આજે સાંજે 6 કલાકે ઓનલાઈન બેઠક મળી હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી બેઠકમાં ઓનલાઇન હાજરી આપી હતી.
સોમનાથ ટ્રસ્ટના ઓનલાઇન બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં સોમના ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ વધુ એક વર્ષ માટે રહેશે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, જેડી પરમાર અને સેક્રેટરી પી.કે.લેહરી જોડાયા.
બેઠકમાં સોમનાથ ટ્રષ્ટના આવક-જાવકનો હિસાબ પણ રજૂ કરવામાં આવ્યો જેમાં ગત વર્ષે આવક 46.29 કરોડની આવક તો 35.80 કરોડની જાવક પણ થઈ હતી.
બેઠકમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી, અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2.62 કરોડની સહાય પણ કરવામાં આવી, સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં પણ 1 કારોડનજ દાન આપવામાં આવ્યું છે
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ
Comments
Post a Comment